સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ
ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા
ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને
સમર્પિત સ્મારક છે. તે
સરદાર સરોવર બંધની સામે
3.2 km દૂર નદીમાં આવેલા સાધુ
બેટ પર ભરૂચ નજીક
આવેલું છે. આ સ્મારકનો
વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ
મીટર છે અને તે
૧૨ ચોરસ કિ.મી.
વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું
છે. ૧૮૨ મીટરની ઊંચાઇ,
જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની
અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ
સામેલ છે, સાથે આ
સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
છે.
આ સ્મારકની જાહેરાત ૨૦૧૦માં કરવામાં આવી હતી. ભારત
સરકાર દ્વારા આ સ્મારકનો
પ્રારંભિક કુલ ખર્ચ INR ૩,૦૦૧ કરોડ અંદાજવામાં
આવ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૪માં
લાર્સન અને ટુબ્રોએ બાંધકામ,
રચના અને જાળવણી માટે
સૌથી નીચી રકમનું બિડ
કર્યું હતું અને કરાર
જીત્યો હતો, જે INR ૨,૯૮૯ કરોડ હતો.
સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામ વી.
સુથાર દ્વારા કરવામાં આવી
હતી. ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના
રોજ બાંધકામ શરૂ થયું હતું
અને મધ્ય ઓક્ટોબર ૨૦૧૮માં
બાંધકામ પૂર્ણ થયું હતું.
૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સરદાર
પટેલની ૧૪૩મી જન્મજયંતિ પર
ભારતના ૧૪મા વડાપ્રધાન નરેન્દ્ર
મોદી તેનું વિધિવત ઉદ્ઘાટન
કરાયું હતું.
નરેન્દ્ર
મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૧૦ના
રોજ પ્રેસ કોન્ફરન્સમાં તેમના
ગુજરાતના મુખ્યમંત્રી પદના ૧૦મા વર્ષની
શરૂઆત પર સ્મારકની જાહેરાત
કરી હતી. તે સમયે
આ યોજના ગુજરાતનું દેશને
યોગદાન તરીકે રજૂ કરાયો
હતો. સરદાર વલ્લભભાઈ પટેલ
રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) ખાસ
આ સ્મારક હેતુથી ગુજરાત
સરકાર દ્વારા બાંધકામ અને
પ્રચાર માટે ડિસેમ્બર ૨૦૧૩માં
બનાવવામાં આવ્યું હતું.
સ્મારકના
પ્રચાર માટે ગુજરાત સરકાર
દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં
આવ્યા હતા. ખેડૂતોને તેમના
વણવપરાયેલ જૂના ખેતીના ઓજારો
લોખંડ ભેગું કરવા માટે
વિનંતી કરાઇ હતી. ૨૦૧૬
સુધીમાં ૧૩૫ મેટ્રિક ટનનો
લોખંડ ભંગાર એકઠો કરાયો
હતો, જેમાંથી ૧૦૯ મેટ્રિક ટન
સ્મારકના પાયામાં વપરાયો હતો. રન
ફોર યુનિટી નામની દોડસ્પર્ધા
૧૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ સુરતમાં
આયોજીત કરાઇ હતી.
રસપ્રદ તથ્યો
પ્રતિમા
60 એમ / સે, વાઇબ્રેશન અને ભૂકંપ સુધીના પવન વેગનો સામનો કરવામાં સક્ષમ હશે.
પ્રતિમાની
જોવા ગેલેરી, ૧33 મીટરની ઝડપે, એક સમયે 200 લોકોને સમાવી શકે છે અને સરદાર સરોવર ડેમનું
વિશાળ દૃશ્ય પ્રદાન કરી શકે છે.
આરસીસી
ટાવર્સ, જે તળિયે પટેલના ધોતી પહેરેલા પગ બનાવે છે, તેમાં પ્રત્યેક બે લિફ્ટ છે. દરેક
લિફ્ટ, અડધા મિનિટથી ઉપરમાં 26 લોકોને ટોચ પર લઈ જઈ શકે છે.